સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
boAt Lunar Pro LTE स्मार्टवॉच Jio eSIM सपोर्ट के साथ भारत में लॉन्च, जानें कीमत और फीचर्स
boAt Lunar Pro LTE Smartwatch Launched boAt ने भारत में Lunar Pro LTE की घोषणा की है। हालांकि...
MP News: सीएम की ड्यूटी में तैनाती के लिए जा रहे पुलिसकर्मियों की बस पलटी, तीन जवानों की मौत; 21 घायल
मध्य प्रदेश के सिवनी जिले के केवलारी थाना क्षेत्र के लोपा गांव के पास 35वीं बटालियन के एसएफ...
গোলাঘাটত আম আদমী পাৰ্টীৰ যোগদান কাৰ্যসূচী
গোলাঘাটত আম আদমী পাৰ্টীৰ যোগদান কাৰ্যসূচী
श्मशान घाट क्षतिग्रस्त बाउंड्रीवाल ने बढ़ाई क्षेत्रीय लोगों की मुसीबतें
श्मशान घाट क्षतिग्रस्त बाउंड्रीवाल ने बढ़ाई क्षेत्रीय लोगों की मुसीबतें
કાંકરેજ ૧૫ વિધાનસભાના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ જંગી સભા યોજી
ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરીવાર કીર્તિ સિંહ વાઘેલા ને ટિકિટ રિપિટ કરતા કાર્યકર્તાઓ માં ઉત્સાહ...