સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राष्ट्रीय स्वैच्छिक रक्तदान दिवस के उपलक्ष्य में होंगे सप्ताहभर कई कार्यक्रम व प्रतियोगिताएं
स्वैच्छिक रक्तदान को लेकर लोगों में जागरुकता आए, भ्रांतियां दूर हो और नई सकारात्मक नीतियां सरकार...
ધ્રાંગધ્રામાં ડાયાબિટીસ, હાડકાના દુખાવો, કબજિયાત સહિતના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો
ધ્રાંગધ્રામાં ડાયાબિટીસ, હાડકાના દુખાવો, કબજિયાત સહિતના દર્દીઓ માટે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો
Introducing Ethical Diamonds Co: Redefining Luxury with Lab Diamonds Fine Jewelry
Introducing Ethical Diamonds Co: Redefining Luxury with Lab Diamonds Fine Jewelry
...
World Sleep Day 2024: बिस्तर पर लेटते ही आ जाएगी नींद, बस सोने से पहले कर लें ये मेडिटेशन
अच्छी नींद अच्छी सेहत के लिए बहुत जरूरी है। इसी महत्व को बताने के लिए हर साल 15 मार्च को World...
SC Verdict On Aligarh Muslim University: 3 जजों की नई बेंच करेगी AMU का दर्जा क्या होगा | Aaj Tak
SC Verdict On Aligarh Muslim University: 3 जजों की नई बेंच करेगी AMU का दर्जा क्या होगा | Aaj Tak