સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पुलिस प्रशासन एवं रसद विभाग ने संयुक्त कार्यवाही कर 3825 लीटर अवैध पेट्रोलियम पदार्थ के साथ वाहन किया जब्त
बालोतरा, 09 अप्रेल। मंगलवार को बाड़मेर -जोधपुर राष्ट्रीय राजमार्ग पर ग्राम सरवड़ी में स्थित...
સરકારી દુકાનોના સંચાલકોની ગેરરીતિઓ પ્રકાશમાં લાવનાર સામાજિક કાર્યકરને ધાક ધમકીઓ અપાઇ
ઝાલોદ તાલુકાના કદવાળ ગામની 2 સરકારી સસ્તા અનાજની દુકાનો અને ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામની 1સરકારી...
Breaking News: Jharkhand में 5 घंटे के लिए इंटरनेट बंद, परीक्षा में नकल रोकने के लिए सरकार का कदम
Breaking News: Jharkhand में 5 घंटे के लिए इंटरनेट बंद, परीक्षा में नकल रोकने के लिए सरकार का कदम
दोस्ती खत्म! BJP के साथ गठबंधन नहीं करेगी राज ठाकरे की मनसे
महाराष्ट्र नवनिर्माण सेना (मनसे) प्रमुख राज ठाकरे ने गुरुवार को महाराष्ट्र में आगामी विधानसभा...
ડીસા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિજયા દશમીનો તહેવાર નિમિતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
રિપોર્ટ લતીફ સુમરા. બનાસકાઠાના
આજરોજ ડીસા તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું...