સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Yamaha Motor India ने MotoGP 2023 इंस्पायर्ड R15M और MT-15 V2.0 को किया लॉन्च, जानिए कीमत और खासियत
Yamaha Motor India ने आज भारत में मोटोजीपी 2023 से पहले मॉन्स्टर एनर्जी यामाहा मोटोजीपी एडिशन...
વિસનગર : ઇકો ગાડીએ એક્ટિવા અને બાઇક ચાલકને ટક્કર મારી; એક્ટિવા ચાલકનું મોત, બાઇક ચાલકને ગંભીર ઇજાઓ
વિસનગર તાલુકાના પાલડી ત્રણ રસ્તા નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરઝડપે આવી રહેલી ઇકો...
સરસાણા ગામમાં ચડ્ડીધારી ગેંગનો આતંક.... ધારદાર હથિયારો લઈને ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ થઈ
#surat #news #gujarat #gujaratinews સત્ય ન્યૂઝ ગુજરાત રાજ્ય ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને...
સુરેન્દ્રનગરના લખતરની માઇનોર કેનાલમાં ગાબડું
સુરેન્દ્રનગરના લખતરની માઇનોર કેનાલમાં ગાબડું
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર પંચમહાલ ખાતે પ્રથમ શિખરબંધ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી.
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર પંચમહાલ ખાતે પ્રથમ શિખરબંધ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની...