સુરેન્દ્રનગર જિલ્લામાં દર ચોમાસાના સમયમાં વીજકરંટના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે જિલ્લામાં એપ્રિલથી જુલાઈ એટલે કે ચાર માસમાં 15 પશુઓના મોત થયા હતા. બીજી તરફ આ સમયગાળા દરમિયાન એક પણ લોકોનું મોત ન થયાનુ બહાર આવ્યુ હતુ.ઝાલાવાડમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ તેમજ સીમ વિસ્તારોમાં પસાર થતા વીજલાઈનોમાંથી વીજશોકના બનાવોમાં પશુઓના મોત થવાની ઘટના વધી રહી છે. લોકો પશુઓને લઇને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કે જ્યાં પશુઓ ઘાસચારો ચરી શકે તેવી જગ્યાઓ શોધીને લઇને જતા હોય છે. ત્યારે વઢવાણ, લખતર, મૂળી, સાયલા, ચુડા, લીંબડી, પાટડી, થાન, ધ્રાંગધ્રા તેમજ ચોટીલા તાલુકા મથકો સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વીજશોક લાગવાના બનાવો વધી રહ્યા છે. જેમાં વીજલાઈન નજીક, વીજ ટ્રાન્સફોર્મર નજીક તેમજ ઉપરથી પસાર થતા વીજવાયર કે વીજપોલોમાં વરસાદી વાતાવણમાં વીજશોક વધુ થતા હોય છે. પરિણામે આવા સ્થળોએથી પશુઓ પસાર થતા વીજશોકથી મોત થઇ રહ્યા છે.હાલ વરસાદી વાતવરણમાં પણ જિલ્લામાં એપ્રિલ-2023થી લઇને જુલાઈ-2023 એટલે કે છેલ્લા 4 માસમાંથી 15 જેટલા પશુઓના જિલ્લાના જુદા જુદા સ્થળોએ વીજશોકથી મોત થયા હતા. જો કે, આ સમયગાળામાં વીજશોકથી એક પણ વ્યક્તિનું મોત ન થયાનું વીજતંત્રના ચોપડે નોંધાયુ હતુ. ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઈન, ટીસી, વીજપોલ સહિતના સ્થળોએ લોકોએ પણ પશુઓને લઇને પસાર ન થવુ જોઇએ તેમજ આવા સ્થળોએ સાવચેતી જો રાખવામાં આવે તેમ વીજતંત્રે જણાવ્યું હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पर्यावरण प्रदूषण मॉनिटरिंग समिति की बैठक आयोजित उपखण्ड में संचालित अवैध औद्योगिक इकाईयों के विरूद्ध हो सख्त कार्यवाही - अशोक कुमार
बालोतरा, 18 अक्टूबर। जिला कलक्टर के निर्देशानुसार उपखण्ड अधिकारी अशोक कुमार की अध्यक्षता में...
*'ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ'ને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં મળ્યું સ્થાન
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ- G3Q મેગા ફિનાલે ક્વિઝ*
*રાજ્ય સરકારની કામગીરી ગુજરાતની જનતા સુધી...
'उन्होंने हार मान ली', EVM पर कांग्रेस के आरोपों को लेकर BJP प्रवक्ता शहजाद पूनावाला का निशाना
इलेक्ट्रॉनिक वोटिंग मशीन (EVM) पर कांग्रेस के आरोपों के बीच, भारतीय जनता पार्टी के प्रवक्ता शहजाद...
Gujarat HC says PMO need not furnish degree certificates of PM Modi: Report
The Gujarat high court also imposed costs of ₹25,000 on Delhi chief minister Arvind Kejriwal who...