લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી મતદાતા જાગૃત્તિ માટે વિશેષ પ્રયાસ

અમરેલી, તા.૨૦ ઓકટોબર, ૨૦૨૨ (ગુરુવાર) અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિ કાર્યક્રમ શરુ છે. જાફરાબાદ તાલુકા મામલતદાર દ્વારા મતદાર જાગૃત્તિ માટે અસરકારક શબ્દોના ઉપયોગથી કાવ્યની રચના કરવામાં આવી છે. તે કાવ્યને લોકભોગ્ય શૈલીમાં રજૂ કરી મતદાતા જાગૃત્તિ માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાફરાબાદ તાલુકા મામલતદારશ્રી તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા મતદારોને આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ દરમિયાન વધુમાં વધુ મતદાન કરી લોકશાહીને મજબૂત કરવા અપીલ કરવામાં આવી હતી.

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.