ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.