સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.