દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વ હેઠળ સમગ્ર દેશભરમાં સરકારની જન કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચાડવા તેમજ તમામ જન કલ્યાણકારી યોજનાઓનાઓની માહિતી જન જન સુધી પહોંચાડવા માટે સમગ્ર ભારત દેશ સહિત સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જન કલ્યાણકારી યોજનાઓના લાભોની માહિતી છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા સહિત જન કલ્યાણકારી યોજનાઓના લાભો જરૂરિયાત મંદ લોકોને આપવા માટે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત આજે હાલોલ નગર પાલિકા દ્વારા નગરના મુખ્ય બગીચા ખાતે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ નગરની લાભાર્થી જનતાને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભો સહિત વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાઓના લાભો ઉપસ્થિત ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવોના વરદ્ હસ્તે સ્થળ પરથી આપવામાં આવ્યા હતા જ્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ જનતાને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવો દ્વારા સરકારની તમામ જન કલ્યાણકારી લાભકીય અને સહાયકીય માહિતી સહિત જાહેર જનતાના વિકાસને લગતી માહિતી પૂરી પાડી પ્રત્યેક માનવીને આ તમામ યોજનાના લાભ લેવા અનુરોધ કરાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જિલ્લા ઇન્ચાર્જ નીતિન શાહ, હાલોલ મામલતદાર બી.એમ.જોષી,નગર પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર,નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શીતલભાઈ પટેલ, હાલોલ શહેર ભાજપ પ્રમુખ ડો.સંજયભાઈ પટેલ, શહેર ભાજપા મહામંત્રી હરીશ ભરવાડ,નગર પાલિકાના પૂર્વ કારોબારી અઘ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,જિલ્લા ભાજપા મંત્રી અરવિંદસિંહ પરમાર,રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.સાગર સહિત પ્રધામંત્રી વિશ્વકર્મા યોજનાના ઇન્ચાર્જ પ્રવીણભાઈ પંચાલ (માં મોટર્સવાળા) સહિત હાલોલ નગર પાલિકાના પૂર્વ સદસ્યો સહિત કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.