કૃષિ મેળા અંતર્ગત ચોથુ સ્તંભ ગણાતો મીડિયા ને આમંત્રણ જ નહીં બોલો ....આવું તે શું ખાનગીકરણ ચાલ્યું હશે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે કૃષિ મેળા અંતર્ગત કરેલા ખર્ચાઓ ની વિગત તપાસ કરવામાં આવે તો જમણવાર મંડપ અને અન્ય ખર્ચાઓ મલી વાસ્તવિકતા બહાર આવે તેમ છે તે બહાર ન આવી જાય તેવા આશય સાથે સાથે કાંતો મીડિયાને આમંત્રણ અપાયું નથી . એવુ કાંઇ નથી તો પછી આમંત્રણ કેમ નહી 

તો પછી મીડિયા ને આમંત્રણ કેમ નહીં

ખેડબ્રહ્મા ગઢડા શામળાજી તેમજ લક્ષ્મીપુરા ખાતે કૃષિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી

 તારીખ ૨૪ નવેમ્બરના રોજ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાઇ ગયો 

રાજ્ય સરકાર દ્વારા તા.૨૪ અને તા.૨૫ નવેમ્બર,૨૦૨૩ના રોજ સમગ્ર રાજ્યમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ યોજાયુ

સાબરાકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકોએ ખાતે સાંસદ રમીલાબેન, બારા ખેડબ્રહ્મા ના ગઢાડા શામળાજી મંદિર હોલ ખાતે કાર્યક્રમ યોજાઇ ગયો હતો તેમા લાગતા વળગતા અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્ય સરકારની સુખાકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચતી હોય છે તે યોજનાઓ ની પ્રસિદ્ધિ માટે દેશમાં ચોથા સ્થંભ તરીકે ઓળખાતા મીડિયા ને આમંત્રણ આપવામાં આવ્યું નહીં તો કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળ્યા હતા