જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.