આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સ્વરૂપે વાવની વસિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું.સમગ્ર ગુજરાતમાં 61 જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.તેમાંથી 22 જેટલા જિલ્લામાંથી તો એક પણ વિદ્યાર્થી એ વનમાં સ્થાન પામ્યા નથી.ત્યારે સુરત જિલ્લાના 16 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે.જેમાં વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થી અણધણ ઓમ દિનેશ ભાઈએ 99.98 પી.આર મેળવી એ વન ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.સામાન્ય પરિવાર માંથી આવતા ઓમ ના પરિવારમાં પિતા દિનેશભાઈ ટેક્ષ્ટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે.જ્યારે માતા અલ્પા બેન ગૃહિણી છે.સામન્ય પરિવારમાંથી આવતા ઓમે પોતાની અથાગ મહેનત વડે સિદ્ધી હાંસલ કરી છે.શાળાના શિક્ષકોની આયોજન સભર અભ્યાસ માટેની આગવી પદ્ધતિ સહિતનું માર્ગદર્શન તેમજ શાળા સંચાલક દ્વારા પૂરો પાડવામાં આવેલા ઉત્તમ માહોલના કારણે દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ શાળાને ઉચ્ચ પરિણામ અપાવતા રહ્યા છે.પરિણામ સહિત જાહેર થયેલા ગુજકેટની પરીક્ષામાં પણ ઓમનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો છે. તેણે ગુજકેટમાં 120 માંથી 117.50 ગુણ મેળવી શાળા સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સહિત ગુજકેટના પરિણામમાં શાળાના હોનહાર વિદ્યાર્થી ઓમ સહિત અન્ય સફળ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણને શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેક્ટર વિજયભાઈ ડાવરિયા, રવિભાઈ ડાવરિયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો.પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર થી ગુજરાત આવી રહેલી બે મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી
ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર થી ગુજરાત આવી રહેલી બે મહિલાને ડ્રગ્સ સાથે ઝડપી પાડી
સુરત: પવિત્ર શ્રાવણ માસમાં ફ્રુડ વિભાગ સક્રિય..
સુરત તમામ ઝોનમાં ફ્રુડ વિભાગ દ્વારા સેમ્પલ લઈને કાર્યવાહી હાથધરી
શહેરના અનેક...
ब्राह्मण समाज महिला मंडल ने मनाया लहरिया हरियाली तीज महोत्सव
ब्राह्मण महिला मंडल ने अगड के वीर हनुमान मंदिर परिसर में लहरिया हरियाली तीज महोत्सव पोधारोपण कर...
પંઝાબના મુખ્યમંત્રીશ્રી ભગવત માનજીના રોડશોમાંAAPનાBJPના કાર્યકરો આમનેસામને આવીજતાઅટકાયો
પંઝાબના મુખ્યમંત્રીશ્રી ભગવત માનજીના રોડશોમાંAAPનાBJPના કાર્યકરો આમનેસામને આવીજતાઅટકાયો
धार्मिक नगरी केशवरायपाटन में भगवान श्रीकेशवराय मंदिर में मनाया अन्नकूट महोत्सव
धार्मिक नगरी केशवरायपाटन में भगवान श्रीकेशवराय मंदिर में मनाया अन्नकूट महोत्सव