આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સ્વરૂપે વાવની વસિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીએ મેદાન માર્યું હતું.સમગ્ર ગુજરાતમાં 61 જેટલા વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.તેમાંથી 22 જેટલા જિલ્લામાંથી તો એક પણ વિદ્યાર્થી એ વનમાં સ્થાન પામ્યા નથી.ત્યારે સુરત જિલ્લાના 16 વિદ્યાર્થીઓ એ વન ગ્રેડમાં આવ્યા છે.જેમાં વાવ ખાતે આવેલી શ્રી વસિષ્ઠ વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થી અણધણ ઓમ દિનેશ ભાઈએ 99.98 પી.આર મેળવી એ વન ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર સુરત જિલ્લાનું નામ રોશન કર્યું છે.સામાન્ય પરિવાર માંથી આવતા ઓમ ના પરિવારમાં પિતા દિનેશભાઈ ટેક્ષ્ટાઈલના ધંધા સાથે સંકળાયેલા છે.જ્યારે માતા અલ્પા બેન ગૃહિણી છે.સામન્ય પરિવારમાંથી આવતા ઓમે પોતાની અથાગ મહેનત વડે સિદ્ધી હાંસલ કરી છે.શાળાના શિક્ષકોની આયોજન સભર અભ્યાસ માટેની આગવી પદ્ધતિ સહિતનું માર્ગદર્શન તેમજ શાળા સંચાલક દ્વારા પૂરો પાડવામાં આવેલા ઉત્તમ માહોલના કારણે દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓ શાળાને ઉચ્ચ પરિણામ અપાવતા રહ્યા છે.પરિણામ સહિત જાહેર થયેલા ગુજકેટની પરીક્ષામાં પણ ઓમનો ઉત્કૃષ્ઠ દેખાવ રહ્યો છે. તેણે ગુજકેટમાં 120 માંથી 117.50 ગુણ મેળવી શાળા સહિત તાલુકા અને જિલ્લા કક્ષાએ શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સહિત ગુજકેટના પરિણામમાં શાળાના હોનહાર વિદ્યાર્થી ઓમ સહિત અન્ય સફળ થયેલા વિદ્યાર્થીઓ અને શિક્ષક ગણને શાળાના ચેરમેન રમણીકભાઈ ડાવરિયા,ડાયરેક્ટર વિજયભાઈ ડાવરિયા, રવિભાઈ ડાવરિયા, એજ્યુકેશનલ એડવાઈઝર ડો.પરેશભાઇ સવાણી તેમજ શાળાના આચાર્ય મેહુલભાઈ વાડદોરિયાએ અભિનંદન પાઠવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
झगरा ग्राम में अज्ञात कारणों के चलते गरीब के घर में लगी आग गृहस्ती का सामान जलकर खाक मौके पर पहुंची फायर ब्रिगेड ने आग पर पाया काबू
पन्ना जिले के अमानगंज तहसील अंतर्गत आने वाले झगरा ग्राम में उस वक्त हड़कंप मच गया...
જિલ્લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા ફરમાન
ભુજ, બુધવારઃ
કચ્છ જિલ્લામાં કેબલ ટી.વી.ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર...
ঢকুৱাখনা ঘিলামৰাত শিশু নাট কৰ্মশালা- কবিতা আবৃত্তি কৰ্মশালাৰ সামৰণি || শতাধিক কণ কণ শিক্ষাৰ্থীৰ অভিনয়ে মুগ্ধ কৰিলে দৰ্শকক
অসম নাট্য সন্মিলনৰ ইংগিত ঘিলামৰা শাখা আৰু ইংগিত নাট্যগোষ্ঠীৰ উদ্যোগত, ঘিলামৰা আদৰ্শ নিম্ন...
Telangana का ख़ज़ाना Congress Party के निजी मामलों के लिए ख़र्च किया जा रहा है: K Kavitha | BRS
Telangana का ख़ज़ाना Congress Party के निजी मामलों के लिए ख़र्च किया जा रहा है: K Kavitha | BRS
મોટા વિરોધની તૈયારીમાં મુસેવાલાના માતા-પિતા, કહ્યું- પોલીસ પર ભરોસો ઉઠયો
સ્વર્ગસ્થ પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પોલીસની કાર્યવાહીથી તેના માતા-પિતા ખુશ નથી. જો...