વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પાર્ટીઓ સાથે સમાજ પણ સક્રિય જોવા મળી રહ્યા છે આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે જેને લઇ તમામ સમાજ દ્રારા શક્તિ પ્રદર્શન કરી મહાસંમેલનો, બેઠક, સભાઓ કરી રહ્યા છે

અમદાવાદ ખાતે આજે માલધારી સમાજનીં પંચાયત મળી હતી જેમાં જુદા મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી જેમાં માલધારી સમાજમાં જુના કુરિવાજો દુર કરવાની ચર્ચા કરાઇ હતી તેમજ રાજ્યમાં પ્રસરેલ લમ્પી વાયરસના કારણે હજારોની સંખ્યામાં ગાયોના મોત નિપજ્યા છે તેના ગંભીરતાથી લઇ ગયોને ત્વરિત મેડિકલ સેવા મળે અને સરકાર દ્રારા વહેલાતકે પશુઓને વળતર રૂપે સહાય ચૂકવામાં આવે તેવી માગ કરાઇ હતી અને સરકાર દ્રારા બજેટસત્ર દરમિયાન લાગુ કરવામાં આવેલુ ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માગ ઉઠી હતી તેમજ સમાજ આર્થિક , શૈક્ષણિક, ક્ષેત્રે પ્રગતિ કરી તે અંગે પણ ચર્ચા થઇ લમ્પીથી મૃત્ય પામેલા પશુદીઠ લાખ રૂપિયા સહાય આપવા માલધારી સમાજ દ્રારા માગ કરાઇ છે જો માગ નહી સંતોષય તો માલધારી સમાજમાં આગામી દિવસોમાં રસ્તાઓ ઉતરી આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે, આ મહાપંચાયત સમ્રગ ગુજરાતના માલાધારી સમાજના આગેવાનો જોડાયા હતા અને પોતાના પ્રશ્રનોને લઇ સરકાર સામે દરખાસ્ત મુકશે