બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેથી અનેક પંથકમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે અમીરગઢ, ઈકબાલગઢ, ધાનેરા, ડીસા, દિયોદર, કાંકરેજ અને લાખણી સહીતના પંથકમાં માવઠું થયું હતું. સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.