હાલોલ નગરના સુલતાનપુરા ખાતે બળીયાદેવ મંદિર પાસે ખેતરમાં કાચું છાપરું બાંધીને રહેતા અંદાજે 50 વર્ષની આસપાસની ઉંમરના આધેડ છત્રસિંહ ચંદ્રસિંહ ચૌહાણ ગતરાત્રિના સુમારે નિત્યક્રમ મુજબ જમી પરવારીને ખેતરમાં આવેલા છાપરા ખાતે ખાટલો ઢાળીને સુઈ ગયા હતા જે બાદ આજ રોજ તારીખ 28/02/2023 ના રોજ સવારના સુમારે તેઓ પોતાના ખેતરમાંથી કોઈક કારણસર આકસ્મિક રીતે મરણ ગયેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને આસપાસથી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી જેમાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક છત્રસિંહના મૃતદેહનો કબજો મેળવી હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હાલોલ ટાઉન પોલીસ મથકે ચંદ્રસિંહ છત્રસિંહ ચૌહાણની મોતને લઈને કાયદાકીય કાર્યવાહી અંતર્ગત અકસ્માત મોત એડી નોંધવા તજવીજ હાથ ધરી ટાઉન પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.