દિયોદર નગરે શ્રી જલારામ બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ભવ્ય શોભા યાત્રા.દિયોદર ખીમાણા હાઇવે રોડ પર જલારામ બાપાનું મંદિર નવનિર્માણ પામ્યું છે જેમાં ફાગણ સુદ ત્રીજના તારીખ 22 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી આ મંદિર ખાતે જલારામબાપાના ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગતરોજ પ્રતિષ્ઠા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આજે બીજા દિવસે ભવ્ય શોભા યાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બગી, હાથી, ઘોડાઓ અને ટ્રેક્ટરો સાથે હજારોની સંખ્યામાં જલારામ બાપાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ શોભા યાત્રા જલારામ પાર્ક સોસાયટી થી નીકળી દિયોદર મેઈન બજાર,રેલવે સ્ટેશન થઈ હાઇવે વિસ્તાર થી જલારામ મંદિર સુધી યોજવામાં આવી હતી જેમાં યાત્રા નું સદભાવના સેવા ગ્રુપ , આદર્શ હાઇસ્કુલની બાળાઓ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા મંદિરે પહોંચ્યા બાદ તમામ મૂર્તિઓ ને યજ્ઞ મંડપ માં સ્થાપિત કરવામાં આવી હતી તેમજ આજે રાત્રે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખ્યાતનામ કોયલ કંઠી ગુજરાતનું ગૌરવ એવા ગીતાબેન રબારીના ડાયરામાં મોટી સંખ્યામાં દિયોદર તેમજ ગ્રામીણ વિસ્તારના લોકોને મોટી સંખ્યામાં ડાયરામાં પધારવા માટે ઠકકર સમાજ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે તેમજ જલારામ બાપાના ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમને લઈ દિયોદર નગરના લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Loksabha Election के नामांकन से पहले Dimple ने Mulayam Singh की समाधि पर की पुष्पांजलि | Aaj Tak
Loksabha Election के नामांकन से पहले Dimple ने Mulayam Singh की समाधि पर की पुष्पांजलि | Aaj Tak
My Village Lodra, Santalpur, saher to saher chhe gamdu ato Gandu, Video By Me, @Vm Gujarati
My Village Lodra, Santalpur, saher to saher chhe gamdu ato Gandu, Video By Me, @Vm Gujarati
Farmers Protest: Delhi चलो विरोध मार्च को लेकर क्या बोले किसान नेता Gurnam Singh Charuni ? | Aaj Tak
Farmers Protest: Delhi चलो विरोध मार्च को लेकर क्या बोले किसान नेता Gurnam Singh Charuni ? | Aaj Tak
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે ઉદ્યોગ સાહસિકતા વિકસાવતી ત્રી-દિવસીય આવાસી તાલીમોનું આયોજન
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડા ખાતે તારીખ ૫ થી ૭ જુલાઈ અને તારીખ ૧૨ થી ૧૪ જુલાઈ, ૨૦૨૨ના રોજ આર્યા...
વડીયા શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા રેલી નીકળી શહેરની મુખ્ય બજારોમાં તિરંગા યાત્રા ની રેલી યોજાઇ
વડીયા શહેરમાં આજરોજ ભવ્ય તિરંગા યાત્રા રેલી યોજાઇ હતી સમગ્ર વિગતથી જો વાત કરવામાં આવે તો આજે...