બનાસકાંઠા જિલ્લામાં એલ.સી.બી માં ફરજ બજાવતા ભરતભાઈ લાલજીભાઈ ચૌધરી રહે. અરજણપુરા તાલુકો વાવ જીલ્લો બનાસકાંઠા નાઓનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને તેમના દીકરાને આ દુઃખની ઘડીમાં સાંત્વના આપવા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબ આજરોજ તેમના પરિવાર અને પુત્રને મળેલા અને પોલીસ પરિવાર વતી રોકડ રૂપિયા 11,62,000 ની રોકડ સહાય આપેલ અને તેમના પરિવારને ભવિષ્યમાં હર હંમેશ મદદ કરવાની ખાતરી આપેલ હતી.SP શ્રી અક્ષય રાજ સાહેબનો આ દુઃખની ઘડીમાં સહાયરૂપ થવા અને દુઃખમાં ભાગીદાર બનવા બદલ તેમના પરિવારે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો...