ડીસા પાસે આવેલ ધર્મનગરી જુના ડીસાથી જીરાવલા છ'રીપાલક સંઘનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગામના પનોતા પુત્ર અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ગામમાં પધાર્યા હતા અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો .બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા નજીકના જુના ડીસા ગામના જૈન શ્રેષ્ઠીઓ વ્યવસાય અર્થે દેશ વિદેશમાં સ્થાઈ થયા છે , પરંતુ તેઓ માદરે વતનનું ઋણ ચૂકવવા સદાય અગ્રેસર રહે છે . હાલમાં ગામના તારાબેન રસિકલાલ શેઠ પરિવાર તરફથી જુના ડીસાથી જીરાવલા તીર્થ ધામના છ'રીપાલક સંઘનું આયોજન કરવામાં આવ્યું છે . જે નિમિત્તે ગઈકાલે ગામના તમામ સમાજના ભાઈ બહેનોને ભોજન પીરસવામાં આવ્યું હતું . ત્યારબાદ આજે છ'રીપાલક સંઘનું પ્રસ્થાન કરાયું છે . જેમાં હાજરી આપવા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ માદરે વતન આવી પહોંચતા તેમનુ ભવ્ય સ્વાગત કર્યું હતું . તેમણે સંઘના આયોજન બદલ આયોજક પરિવારને બિરદાવી માદરે વતનમાં આવવા બદલ ખુશી વ્યક્ત કરી હતી . આયોજક પરિવારે પણ તેમનો ઋણ સ્વીકાર કર્યો હતો . તેમજ ગૃહમંત્રીએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી સંઘના તમામ કામમાં ખડેપગે રહેવાની ખાતરી આપી ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સરદારધામ યુવા સંગઠન દ્વારા નડિયાદ ખાતે યુવા સંવાદ કાર્યક્ર્મ યોજાયો.
નડિયાદ.
ખેડા..
સરદારધામ યુવા સંગઠન દ્રારા નડિયાદ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ ખુબ જ સફળતાપૂર્વક-...
जम्मू-कश्मीर में बैन जमात-ए-इस्लामी 7 सीटों पर निर्दलीय उम्मीदवार उतारेगी
जम्मू-कश्मीर में जमात-ए-इस्लामी पार्टी के नेता 7 सीटों पर निर्दलीय चुनाव लड़ेंगे। इस पार्टी को...
CITY CRIME NEWS તેઓ તેમની માતાના પાણીઢોળ અર્થે વીજપડી ગામે પરત આવતા હતા ...
CITY CRIME NEWS તેઓ તેમની માતાના પાણીઢોળ અર્થે વીજપડી ગામે પરત આવતા હતા ...
ভাৰতীয় সেনাৰ দ্বাৰা শিশুসকলৰ মাজত বিভিন্ন খেলৰে উদযাপন শিশু দিৱস
সোণাৰিত শিশু দিৱস উদযাপন৷ ভাৰতীয় সেনাৰ দ্বাৰা শিশুসকলৰ মাজত বিভিন্ন খেলৰে উদযাপন কৰিলে শিশু...
સ્મૃતિવન પ્રવેશ ફી 20:અર્થકવેક મ્યુઝિયમ ફી 300, પણ મોર્નિંગ વોક કરવા જશો તો ફ્રી, કાલથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભુજ ખાતે સ્મૃતિવન અર્થક્વેક મ્યુઝિયમ અને મેમોરિયલ...