દાહોદ જિલ્લામાંથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી બે યુવકો દ્વારા અપહરણ કરી લઈ નાસી જતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાંવવા પામી છે.

રિપોર્ટ -રાજ કાપડિયા 

સગીરાના અપહરણનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના કદવાળ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૪મી ડિસેમ્બરના રોજ ઝાલોદ તાલુકામાં રહેતી એક ૧૭ વર્ષીય સગીરાને ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે પટેલ ફળિયામાં રહેતો નવીનભાઈ દિનેશભાઈ બારીયાએ સગીરાને પટાવી, ફોસલાવી, લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ -રાજ કાપડિયા દાહોદ/9879106469

સગીરાના અપહરણનો બીજાે બનાવ દાહોદ શહેરમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકામાં રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને દાહોદ તાલુકાના કાળીગામ ખાતે રહેતો રાહુલભાઈ પ્રકાશભાઈ પંચાલે સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી દાહોદ શહેરમાંથી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાની માતા દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.