વિવાદમાં સપડાયેલી ફિલ્મ પઠાણના રિલીઝ સામે હવે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ મેદાને આવ્યુ છે.અને ગુજરાતમાં  ફિલ્મ રિલીઝ ન થાય તે માટે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે. ફિલ્મમાં અશ્લિલતાનું વરવું પ્રદર્શન થયાની રજૂઆત સાથે  રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે પત્ર લખ્યો છે.ત્યારે શૈક્ષિક સંઘ નો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ફેસબુક આઈ .ડી. પરથી શિક્ષકો બળાપો કાઢતા જોવા મળ્યા છે. શૈક્ષિક સંઘ સામે કેટલા પ્રશ્નો થઈ રહ્યા છે. જેમાં શુ પેપર ફૂટે ત્યારે આ સંઘ ક્યાં જાય છે,,,શુ સંઘ પાસે શિક્ષણ અને શિક્ષકો ને લગતા કોઈ પ્રશ્નો નથી, આ કેટલી મોટી સમસ્યા પર સંઘે અવાજ ઉઠાવ્યો છે,,સુરત શહેરમાં તક્ષશિલા હોનારત મા માસુમ બાળકોના જીવ ગયા ત્યારે આ મહાસંઘ કેમ ચૂપ હતુ?? Ops વિશે કંઈક કરો સહિત અનેક લખાણ વડે બળાપો કાઢી રહ્યા છે...