કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી ૧૬ ફેબ્રુઆરીના રોજ યોજાશે સમૂહ લગ્ન.,,વર્તમાન સમયમાં અનેક સેવાભાવી સંસ્થાઓ ગ્રુપો અને ટ્રસ્ટો જરૂરિયાત મંદ તેમજ ગરીબ લોકોને મદદ કરતું નજરે જોવા મળે છે અનેક પ્રકારની વિવિધ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદ કરે છે ત્યારે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ જ્ઞાતિઓ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાવવા જઈ રહ્યો છે. ત્યારે તારીખ ૧૬/૨/૨૩ ને ગુરુવાર ના સમૂહ લગ્ન યોજાશે. જનસેવા એ જ પ્રભુ સેવા ના હેતુથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે.આ સમૂહ લગ્ન માં પિતાના હોય તેવી દીકરી કે જે લગ્ન કરવા યોગ્ય હોય કોઈપણ જ્ઞાતિની હોય તો તેના લગ્ન કર્તવ્ય ટ્રસ્ટ કરાવશે. આ સમૂહ લગ્ન માટે રજીસ્ટ્રેશન કરાવવું પણ ફરજિયાત.,રજીસ્ટ્રેશન સ્થળ ૧૫, જય જલારામ ઓટો સર્વિસ વૈકુંઠધામ, દરબાર ચોકડી માંજલપુર વડોદરા,સંપર્ક નંબર ૮૦૦૦૩૫૨૧૫૦ મુકેશસિંહ રાજપુત, રણજીતસિંહ રાજપુત,મહેશસિંહ ચૌહાણ સહિત અનેક લોકો આ સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લઈ રહ્યા છે.જોકે આ સમૂહ લગ્ન બિલકુલ ફ્રી માં થશે . વધુ માહિતી માટે આપેલ નંબર ઉપર થી મેળવી શકો છો..