દિયોદર ખાતે 24 કલાક આધુનિક કાર્યાલય શરૂ કરી લોકો ના પ્રશ્નો નું મોબાઈલ ને એક મેસેજ થી નિવારણ આવશે-કેશાજી ચૌહાણ સહુ થી મોટો પાણી ના પ્રશ્ન માટે હું એક સંકલ્પ સાથે ચૂંટણી લડી રહો છુ-

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં મતદાન ના હવે ગણતરી ના દિવસો બાકી છે જેમાં દિયોદર વિધાનસભા માં ભારતીય જનતા પાર્ટી દ્વારા સીટ કબ્જે કરવા માટે વિકાસ ની વાતો ને લઈ મતદારો ને રીજવવામાં આવી રહ્યા છે જેમાં દિયોદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર કેશાજી ચૌહાણ દરેક ગામો માં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેમાં શનિવાર ના રોજ એક સાથે 16 જેટલા ગામો માં લોક સંપર્ક કર્યો હતો જેમાં લુદરા ખાતે લોક સંપર્ક માં સભા ને સંબોધન કરતા કેશાજી ચૌહાણે જણાવેલ કે આ વખતે 8 તારીખે દિવાળી ઉજવવાની છે તે માટે દરેક લોકો એ વિકાસ ને જોઈ ભાજપ ને મત આપી જંગી લીડ થી વિજેતા બનાવવા હાકલ કરી હતી જેમાં વધુ માં જણાવેલ કે આ વિસ્તાર ના લોકો ના પ્રશ્ન નું નિવારણ આવે તે માટે દિયોદર ખાતે 24 કલાક ભાજપ કાર્યાલય શરૂ કરવામાં આવશે જેમાં આ કાર્યાલય આધુનિક કાર્યાલય હશે લોકો એક મોબાઈલ ના મેસેજ થી પોતાના વિસ્તાર ના પ્રશ્નો કરી શકશે તેવું કહી આ અવસર પોતાના આંગણે આવ્યો હોવાનું કહી અવસર ને વધાવવા મતદારો ને આહવાન કર્યું હતુ