આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને જંગી જાહેર સભાને સંબોધતા ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દાહોદના સંસ્મરણો વગોવ્યા હતા દાહોદને પોતાની કર્મભૂમિ ગણાવી સહાનુભૂતિ પ્રાપ્ત કરી મતદારોના મનમાં ઉતારવાનો પ્રયાસ કરી દાહોદના દીકરાને મજબૂત બનાવવાની હાકલ કરી હતી. પોતાની આગવી શૈલીમાં પ્રશ્નોત્તરી સાથે ઉપસ્થિત જન મેદિની ને તેમની સાથે જોડવાનો પ્રયોગ પણ આકર્ષણ રૂપ રહ્યો હતો દાહોદ માટે વળતો પ્રેમ માંગી અને આગામી વિધાનસભાને ચૂંટણીમાં તમામ બુથો ઉપર કમળના ફૂલને ખીલાવવાની અપીલ કરી સૌના મન મોહી લીધા હતા.