ડીસાના સેવાભાવી આગેવાન નરસિંહભાઈ હાથીભાઈ બાઈવાડા એ પ્રેસવાર્તા માં કોંગ્રેસ ને જીતાડવા ની હાકલ કરેલ . શિક્ષણ સહિત રબારી સમાજ ના સંગઠન અને સંકલન માટે હંમેશા તત્પર રહેતા ગોપાલસેના ના સંસ્થાપક નરસિંહભાઈ દેસાઈ એ કોગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે કોંગ્રેસ ને જંગી બહુમતી થી જીત અપાવવા કટીબ્ધતા વ્યક્ત કરેલ . વધુ માં જણાવેલ કે ભાજપ દ્વારા 166 સીટો ફાળવાયેલ છે.જેમાં એક પણ ટિકિટ રબારી સમાજને ન આપી સમાજ ની અવહેલના કરેલ છે . જ્યારે કોંગ્રેસે ડીસા વિધાન સભા માં યુવા અગ્રણી સંજયભાઈ ને ટિકિટ આપેલ છે . સમાજની માગણી અને લાગણી ને અનુસરી ગોવાભાઈ જેમણે વર્ષો થી ડીસા વિધાનસભા અને રબારી સમાજ સહિત કચડાયેલા વર્ગ નું પ્રતિનિધીત્વ કરેલ છે . ત્યારે કોંગ્રેસ ને બહુમતી થી જીતાડવા તમામ ને પ્રયત્નશીલ બનવા હાકલ કરેલ.રિપોર્ટ નરેશ ડી વ્યાસ ડીસા બનાસકાંઠા