દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાટીયા ગામે પત્નિ તરીકે રાખવા સારૂં એક ૧૬ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી એક યુવક અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૨૪મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા તાલુકામાં રહેતાં એક ૧૬ વર્ષીય સગીરાને ગરબાડા તાલુકાના ભે ગામે હાંડીયા ફળિયામાં રહેતો નરેશભાઈ વરસીંગભાઈ ભુરીયાએ સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂં સગીરાને પ્રેમના પાઠ ભણાવી, પટાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે સગીરાના વાલી વારસ દ્વારા ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.