શ્રી ગાયત્રી વિધામંદિર લીહોડા ખાતે ' રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ ' નું આયોજન કરવામાં આવ્યું.

આર.ટી.ઓ. ઓફિસ ગાંધીનગર દ્વારા દહેગામ તાલુકાની શ્રી ગાયત્રી વિધામંદિર લીહોડા ખાતે ' રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ ' નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આર.ટી.ઓ ઇન્સ્પેક્ટર શ્રી સત્યજીત સિંહ ઝાલા સાહેબ અને આર.આર. પટેલ દ્રારા વિધાર્થીઓને માગૅ સુરક્ષા માટેના વિવિધ નિયમો વિશે સમજુતી આપવામાં આવી હતી. તેમજ 

 'TEAM ' મોબાઈલ વાન દ્વારા વિવિધ વિડિયો બતાવીને વિધાર્થીઓને ડ્રાઈવિંગમાં થતી સામાન્ય ભુલો અને તેના ગંભીર પરિણામો વિશે માહિતી આપી હતી.કાયકમૅના અંતે શાળા પરિવાર દ્રારા મહેમાનોને પુસ્તક ભેટ આપી આભાર માન્યો હતો.