ધારી-બગસરા-ખાંભા ૯૪ વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે કાંતીભાઈ સતાસીયા નુ નામ જાહેર થતાની સાથે આમ આદમી પાર્ટી માં ભંગાણ પડેલુ હોય તેવા સમાચારો મળી રહેલા છે. વરસોથી આમ આદમી પાર્ટી ને વફાદાર રહેલા અન્ય દાવેદારોમા પણ નારાજગી ચાલી રહેલ હોય તેવુ જણાય છે... ભારતીય જનતા પાર્ટી માં થી આમ આદમી પાર્ટી માં અરવિંદ કેજરીવાલ ની હાજરીમાં વિધિવત પ્રવેશ મેળવનાર કાંતીભાઈ સતાસીયા એ તમામ દાવેદારો ને પાછળ રાખીને વિધાનસભા ની ટીકીટ મેળવેલ છે... વિધાનસભા ની ચુંટણી કાંતીભાઈ સતાસીયા માટે અનેક રીતે પડકારો આપી રહેલ છે. પક્ષપલ્ટો કરીને આવેલ સતાસીયા ને સ્વિકારવા માટે પક્ષના જ કાર્યકરો તૈયાર નથી તેવી વાતો આધારભુત સુત્રો પાસેથી મળી રહેલ છે.... આ નારાજગી કાર્યકરો માટે પણ બીજા વિકલ્પો તરફ દોરી લય જય રહેલ છે...