*આજે ડીસા સાઈબાબા મંદિર ખાતે સાંજે 7:00 વાગે પત્રકાર એકતા પરિષદ ડીસા સંગઠન અને જિલ્લા સંગઠન તરફથી મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ સંગઠન લાભુભાઈ કાત્રોડીયા પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા ઉપાધ્યક્ષ જગદીશભાઈ રાજપૂત અંબારામભાઈ રાવલ તેમજ સંગઠનના અન્ય હોદ્દેદારો તરફથી સૂચના તરફથી શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા સંગઠનના પ્રમુખ નટવરજી ઠાકોર જિલ્લા પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી સુઈગામના ઉપપ્રમુખ પારસભાઈ વ્યાસ તેમજ ડીસા સંગઠનના પત્રકાર એકતા પરિષદના પત્રકાર મિત્રો હાજર રહીને મોરબી દુર્ઘટનામાં મૃત્યુ પામેલ સ્વજનોને ભાવ ભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્ત સ્વજનોને જલ્દીથી સ્વસ્થ થઈ અને પોતાના પરિવાર સાથે ખુશહાલ જિંદગી જીવે એવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી....

અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા