પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામે ગત દિવસોમાં તસ્કરો ત્રાટ્યા હતા. અને એક મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.સમગ્ર બનાવ અંગે પેટલાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ડોગ સ્કોવડની મદદથી બનાવને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ચોરીના બનાવમાં રોકડ,સોના ચાંદીના દાગીના સહિત કુલ 61000ની મત્તા ચોરાઈ હતી.