સગીર બાળાઓની બાળબુધ્ધિનો ફાયદો ઉઠાવી, પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની, લાલચ આપી, કાયદેસરના વાલીપણામાંથી સગીરાને નસાડી ભગાડી જનાર આરોપીઓને ભોગ બનનાર સાથે શોધી, કાઢવા અંગે પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી.ત્રિવેદી સાહેબને સુચના કરેલ. ગઇ તા 04/07 કલાક.14/00 થી ક.16/00 દરમ્યાન પાડીવાડા ગામે આદરીયાણા ઓ.પી. ઝીઝુવાડા પોલીસ સ્ટેશન ખાતે બનવા પામતા આ કામે આરોપી કિશનજી ગુગાજી વડેચા રહે,ફતેપુરા તા.દશાડાવાળો આ કામના ફરીયાદીની સગીરને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ હોય જે અંગે ઝીઝુવાડા પો.સ્ટે. એ ઇ.પી.કો. કલમ તથા પોકસો એકટ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય. જે ગુન્હાના આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢવા અંગે પોલીસ ઇન્સ. વી.વી.ત્રિવેદી દ્વારા એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી. ખાનગી બાતમીદારો, ટેકનીકલ સોર્સની મદદથી ખાસ ઝુંબેશ હાથ ધરી બાતમી હકીકત આધારે આ ગુનાના ભોગ બનનારને ભગાડી જનાર આરોપી કિશનભાઇ રમેશભાઇ ઉર્ફે ગુગા વડેચા જાતે ઠાકોર ઉવ.રર ધંધો મજુરી રહે,ફતેપુરા તા.દશાડા જી.સુરેન્દ્રનગર હાલ ગંજેળા તા.ધ્રાંગધ્રા ખાતેથી ભોગ બનનાર સગીરા સાથે શોધી કાઢી સુરેન્દ્રનગર ખાતે લાવી સી.પી.આઇ. ધ્રાંગધ્રાનાઓને આગળની કાર્યવાહી અર્થે સોપી આપેલ છે.