આજરોજ મુખ્યમંત્રીશ્રીનો ધોરડો ખાતેનો પ્રવાસ કાર્યક્રમ અનિવાર્ય કારણોસર રદ થયો છે. ધોરડો ખાતેનો રણોત્સવ ઉદ્ઘાટનનો કાર્યક્રમ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાશે. આ કાર્યક્રમનું કવરેજ કરવા તમામ મીડિયાના પ્રતિનિધિશ્રીઓને જિલ્લા વહીવટીતંત્ર તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. મીડિયા પ્રતિનિધિઓને ધોરડો જવા ભુજ માહિતી ભવનથી વાહનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આજે સવારે ૭.૩૦ કલાકે વાહન ધોરડો જવા રવાના થયો હતો.