નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદના અંતરિયાળ દેલસર ગામના પલાસ તીતરિયા પોતાના નવા ઘરમાં રહેવા આવ્યા છે.પોતાની પ્રથમ દિવાળી-નુતન વર્ષ નવા ઘરમાં ઉજવતા તીતરિયાભાઈ અને તેમનો પરિવાર ખૂબ ખુશ છે અને તેઓ આ ખુશીનો શ્રેય પ્રધાનમંત્રી આવાસ યોજનાને આપે છે. આ યોજના થકી તેઓ પોતાના ઘરનું ઘરનું સપનું સાકાર કરી શક્યા છે. તેઓ જણાવે છે કે, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.