વિધવા મહિલા ઓ ના કલ્યાણ માટે વિવિધ સેવા યજ્ઞ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર સુરેન્દ્રનગર ના ઉપક્રમે પ્રકાશ ના પર્વ દિવાળી નિમિતે યુવાન વયે વૈદ્યવ્ય નો ભોગ બનેલા નાના બાળકો ધરાવતી જુદી જુદી જ્ઞાતિ ની 85 વિધવા મહિલા ઓ ને પ્રત્યેક ને રૂપિયા ચાર હજાર કુલ રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજાર પુરા ની રોકડ સહાય નું વિતરણ ધનતેરસ ના શુભ દિને જાણીતા જૈન અગ્રણી શ્રી રજનીકાંત ખાતડીયા ના પ્રમુખ સ્થાને યોજાયેલ હતો. કાર્યક્રમ નું દિપપ્રગટ્ય યુવા ઉદ્યોગપતિ શ્રી કિશોરસિંહ ઝાલા એ કર્યું હતું. વિવિધ શેત્ર ના શહેર ના અગ્રણી સર્વ શ્રી ધનરાજ કેલા, બહાદુરસિંહ પરમાર, વિશુભા ઝાલા, હિતાબેન જાની વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમતી મીનાબેન ડો કે એલ મહેતા ના જન્મદિવસ નિમિતે યોજાયેલ પ્રસ્તુત કાર્યક્રમ નું અનુદાન ડો કે એલ મહેતા તેમનું મિત્ર મંડળ શ્રી પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવા કુંજ સુરેન્દ્રનગર દ્વારા પ્રાપ્ત થયેલ વિધવા મહિલા ઓ ને રોકડ સહાય મીઠાઈ, ફરસાણ પ્રાપ્ત થતા તેઓ ભાવ વિભોર બન્યા હતા. કાર્યક્રમ નું સંચાલન સંસ્થાપક શ્રી રાજેશ રાવલે કર્યું હતું. કાર્યક્રમ ની સફળતા આનંદ રાવલ,નિર્ધાર ટિમ ના બહેનો એ જહેમત ઉઠાવી હતી. આમ શહેર માં વિધવા કલ્યાણ ના શેત્રે એક વિશેષ સેવા પુષ્પ સમર્પિત કરાયું હતું..