દિવાળી ના મહાપર્વ નિમિતે સૌને નવા કપડા ખરીદવા અને પહેરવાની ઇચ્છા તમન્ના હોય છે તે સ્વાભાવિક છે.ત્યારે સંસ્થાના માનસિક દિવ્યાંગ બાળકો પણ દિવાળી મહાપર્વ ખુબજ ઉલ્લાસપૂર્વક ઉજવે તેવા શુભશાય થી સુરેન્દ્રનગર ના સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ ભૂપતભાઇ પટગીર તરફ થી આર.ડી.આચાર્ય મહિલા એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી મહેશભાઇ.પી.વોરા “જીવન સ્મૃતિ” મંદબુધ્ધિના બાળકોની તાલીમી શાળા,વઢવાણ ખાતે સંસ્થા મા તાલીમ લેતા ૭૨ વિધાર્થીઓને નવા એક જોડી કપડા નુ વિતરણ આજરોજ તેમના દ્રારા કરવામા આવ્યુ હતુ. સેવાભાવી નવયુવાન શ્રી રવિભાઇ દ્રારા દિવાળી ના મહાપર્વ નિમિતે છેલ્લા ૧૧ વર્ષ થી માનસિક દિવ્યાંગ બાળકો,અનાથ બાળકો,અંધ-મૂક બધિર બાળકો તથા વૃધ્ધાશ્રમ ના વડીલો વિગરે આશરે ૪૦૦ થી વધુ વ્યકિતઓ માટે દિવાળી પર્વ નિમિતે નવા કપડા નુ વિતરણ કરીને સેવા નુ ઉતમ કાર્ય કરે છે .તેમની આ સેવાકીય પ્રવૃતિ ને સંસ્થા બિરદાવે છે. આ કાર્યક્રમ મા કપડા ના દાતાશ્રી રવિભાઇ પટગીર તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ.કે.ભટ્ટ ,શ્રી અતુલભાઇ શાહ,ધર્મેન્દ્રભાઇ શાહ વિ. હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી અતુલભાઇ શાહ,શ્રી ધર્મેન્દ્રભાઇ શાહ એ જહેમત ઉઠાવેલ હતી.