ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાતમાં રાજકીય ઉથલપાથલ થવાની શરૂઆત થઈ ચૂકી છે આ ઉથલપાથલ વચ્ચે જ દિલ્હીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે જેમાં આવતીકાલે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે કાર્યકર્તાઓ સાથે સંબોધન કરશે તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત આવી સંગઠનની મજબૂત કરવી અને એક જાહેરાતો કરી રહ્યા છે અને મતદારોને આકર્ષણ માટે પ્રયત્નશીલ રહ્યા છે ત્યારે આવતીકાલે પણ હિંમતનગર ખાતે ટાઉનહોલમાં યોજવા જઈ રહેલ કાર્યક્રમમાં કોઈ મોટી જાહેરાત કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ સંગઠન માટે પણ નવા હોદ્દેદારોની વરણી કરી શકે છે. આ તમામની વચ્ચે હાલ તો જિલ્લાના આમ આદમીના પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તે માટે મહેનત કરી રહ્યા છે સાથે શહેરમાં અનેક જગ્યાએ પોસ્ટરો પણ લાગી ચૂક્યા છે અને આવકારવા માટે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે