સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી બસ સ્ટેન્ડ ખાતે એક બિનવારસી લાશ મળી આવી છે. આ લાશ યુવાનની હોવાનું બહાર આવ્યું છે. આ અજાણ્યા યુવાનની લાશ પાસે એક સૂટકેસ પણ મળી આવી છે. ત્યારે આ સૂટકેસમાં શું છે ? તેના આધારે હાલમાં પોલીસ તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.લીંબડી પોલીસ સૂત્ર પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર સવારના સમયે લીંબડી બસ સ્ટેન્ડ વિભાગમાંથી લીંબડી પોલીસ મથકે ફોન આવ્યો હતો અને એક લાશ પડી હોવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યારે લીંબડી પોલીસ તાત્કાલિક અસરે લીંબડી બસ સ્ટેન્ડમાં પહોંચી અને આ યુવાનની લાશનો કબજો સંભાળી અને તપાસ હાથ ધરી હતી. અજાણ્યા યુવાનની લાશ પાસે એક બિનવારસી સુટકેસ પણ મળી આવી છે. આ સુટકેશના આધારે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલમાં યુવાનની લાશને પીએમ માટે લીંબડી સરકારી હોસ્પિટલે ખસેડી અને આગળની વધુ તપાસ હાલમાં લીંબડી પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चिता से शव को मंगवाया वापस पुलिस मामला आजमगढ़
जनपद आजमगढ़ के दीदारगंज में,चिता से शव को मंगवाया वापस पुलिस।मालूम होकि जनपद आजमगढ़ के दीदारगंज...
Baba Ramdev म्हणतात, 'Eknath Shinde हे बाळासाहेब ठाकरेंचे राजकीय वारसदार' | Uddhav Thackeray
Baba Ramdev म्हणतात, 'Eknath Shinde हे बाळासाहेब ठाकरेंचे राजकीय वारसदार' | Uddhav Thackeray
মৰুভূমিলৈ পৰিণত হোৱা নদুৱাৰ বনাঞ্চল সেউজীকৰণ কৰিব ৰাজ্যৰ বনবিভাগে
সূদীৰ্ঘ ২১ বছৰৰ মূৰত ১২শ হেক্টৰ ভূমিত সেউজীকৰণ কৰাৰ উদ্দেশ্যে আজি বৃক্ষৰোপনৰে সেউজীকৰণৰ শুভাৰম্ভ...
થરાદ ખાતે આવેલ રામજી મંદિરે પવિત્ર પુરોષતમ માસ નિમિતે રામ કથા નું આયોજન કરાયુ
પવિત્ર શ્રાવણ મહિનાના અધિક માસમાં શ્રી રામ સેવા સમિતિ તથા નવા રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા રામજી...