હિન્દુ નેતા આચાર્ય સ્વામી ધર્મેન્દ્રએ આજે સોમવારે જયપુરની એસએમએસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 એસએમએસના આઈસીયુમાં તેઓની સારવાર ચાલી રહી હતી. લગભગ એક મહિના અગાઉ તેઓને આંતરડાના રોગની સારવાર માટે એડમીટ કરાયા હતા. 

દશભરના હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા લોકોએ આચાર્ય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. આચાર્યએ શ્રી રામ મંદિર આંદોલનમાં સક્રિય રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ લાંબા સમયથી વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા હતા, આ દરમિયાન તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા હતા. થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. ગયા અઠવાડિયે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયા પણ તેમને મળવા માટે એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા.

મહાત્મા રામચંદ્ર વીર મહારાજના પુત્ર આચાર્ય ધર્મેન્દ્રનો જન્મ 9 જાન્યુઆરી 1942ના રોજ ગુજરાતના માલવાડામાં થયો હતો. તેઓ તેમના પિતા મહાત્મા રામચંદ્ર વીર મહારાજના આદર્શો અને વ્યક્તિત્વથી પ્રભાવિત હતા. 13 વર્ષની ઉંમરે આચાર્યે અખબાર બહાર પાડ્યું હતું.

  તેઓ વિશ્વ હિન્દુ પરિષદના સેન્ટ્રલ ગાઈડન્સ બોર્ડમાં રહી ચૂક્યા છે. તેમણે મહાત્મા ગાંધી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના પછી તેઓ હેડલાઈન્સમાં રહ્યા હતા. જણાવી દઈએ કે બાબરી ધ્વંસ કેસમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, ઉમા ભારતી સહિત આચાર્ય ધર્મેન્દ્રને પણ આરોપી માનવામાં આવ્યા હતા.