સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম ডন ব’স্ক’ বিশ্ববিদ্যালয়ৰ উদ্যোগত কেৰিয়াৰ সজাগতা সভা
অসম ডন ব’স্ক’ বিশ্ববিদ্যালয় স্কুল অৱ টেকন’লজীৰ যান্ত্রিক অভিযান্ত্রিক...
धारा 370 हटाने के नाम पर गृहयुद्ध होने का बयान देने वाले कांग्रेसी नेताओं की जुबान पर मोदी सरकार ने लगाया ताला:- जितेंद्र गोठवाल
भाजपा विधायक जितेंद्र गोठवाल ने कहा कि देश की 140 करोड़ जनता ने तीसरी बार प्रधानमंत्री नरेंद्र...
ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે આઠ દિવસ સુધી શ્રી રામચરિત માનસ કથાનું આજથી પ્રારંભ
ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે આઠ દિવસ સુધી શ્રી રામચરિત માનસ કથાનું આજથી પ્રારંભ
અશોકકુમાર મિશ્રએ પશ્ચિમ રેલ્વેના મહાપ્રબંધક તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
ભારતીય રેલવે મિકેનિકલ એન્જિનિયરિંગ સર્વિસના વરિષ્ઠ અધિકારી શ્રી અશોક કુમાર મિશ્રએ સોમવારે, ૭...