સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી નજીક ખરાબાની જગ્યામા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારના વસાડવા ચોકડીથી સંધ્યા હોટલની વચ્ચે આવેલી ખરાબાની જગ્યામાં એક યુવાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ ઘટના અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ થતાં તાત્કાલિક ધ્રાંગધ્રા તાલુકા પોલીસ એએસઆઈ ધીરૂભા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમાં પ્રથમ લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યારે જાણવા મળતી વિગત અનુસાર આ યુવાન ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુઆ યુવાનનુ નામ નિલેશભાઈ ધનજીભાઈ કાચરોલા ( ઉંમર વર્ષ- 21 ) વાળાએ ધ્રાંગધ્રા તાલુકાના વસાવડા ચોકડીથી સંધ્યા હોટેલની વચ્ચે ખરાબાની જગ્યામા આવેલા લીમડાના ઝાડ પર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું હતુ. પરંતુ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.