જામનગર રોડ આશીર્વાદ એપાર્ટમેન્ટમાં માવતરે નિકીતાબેન કૃણાલભાઇ ચૌહાણ(ઉ.વ.22)એ જામનગર એરફોર્સમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા કૃણાલ નટવરલાલ ચૌહાણ,સાસુ લતાબેન નટવરલાલ ચૌહાણ,સસરા નટવરલાલ હરિલાલ અને નણંદ હિનાબેન સહિતનાઓ ત્રાસ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. નિકિતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું નવેક મહિનાથી મારા પિયરમાં રહું છુ અને એફ.વાય બી.એ. નો અભ્યાસ કરું છુ.મારા લગ્ન તા.27/11/2020 ના રોજ નટવરલાલ હરીલાલ ચૌહાણના દીકરા કૃણાલ સાથે થયેલ હતા.મારા લગ્ન બાદ હું મારા પતિ તથા સાસું - સસરા તથા નણંદ સાથે સંયુકુત કુટુંબ માં રહેતી હતી અને મારા પતિ જામનગર ખાતે એરફોર્સમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા હતા.જેથી અમો બન્ને પતિ પત્ની જામનગર રહેવા જતા રહેલ અને બીજા જ દિવસે મારા સાસુ સસર તથા નણંદ પણ અમારી સાથે રહેવા આવી ગયા હતા.મારા સાસુ મને કહેતા કે તારા દાંત લાંબા છે અને તને બરોબર રસોઇ બનાવતા આવડતી નથી અને તારા માવતરે તને કંઇ શીખડાવ્યું નથી તેમ કહીને ત્રાસ આપતા હતા.