તળાજા તાલુકાના ઝાંઝમેર નાગણેચી માતાજીના મંદિરે વાજા રાઠોડ ક્ષષ્ટ્રીય સમાજની બેઠક મળી 

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઝાંઝમેર ગામે આવેલ પ્રખ્યાત નાગણેચી માતાજીના મંદિરે આજે વાજા રાઠોડ વાઢેર ક્ષત્રીય સમાજની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજા રાઠોડ વાઢેર ક્ષત્રીય સમાજની મિટિંગ નાગણેચી માતાજીના મંદિર કમિટીના પ્રમુખ જયપાલસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને મળી હતી આ મિટિંગમાં આગામી સમયમાં યોજાનાર દશેરા મહોત્સવ સહસ્ત્ર પૂજન માતાજી નો હવન તથા ઇનામ વિતરણ સહિતના કાર્યક્રમ આયોજન અંગે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી આ મિટિંગમાં પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડ યુવા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાજા લગ્ધીર સિંહ ફાઉન્ડેશનના ગોપનાથ પ્રમુખ સુજાનસિંહ રાઠોડ તથા દરેક પાંખના હોદ્દેદારો વડીલો યુવાનો ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને સૌ કોઈએ સાથે મળી અને પ્રસાદ લીધો હતો કાર્યક્રમમાં આભાર વિધિ સમાજના મંત્રી દિલીપસિંહ વાજા એ કરી હતી તેમ યુવા પ્રમુખ જીતેન્દ્રસિંહ વાજા ની યાદીમાં જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખની છે કે નાગણેશી માતાજીના મંદિરે ક્ષત્રિય સમાજ દ્વારા અવારનવાર વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાય છે