તળાજા તાલુકાના મણાર ગામની પ્રાથમિક શાળામાં બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું

સામાજિક તેમજ રાજકીય આગેવાન જીતુભાઈ ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે તળાજા તાલુકાના મણાર ગામની પ્રાથમિક શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના પાલીવાલ બ્રહ સમાજના અગ્રણી અને ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાન જીતુભાઈ ભટ્ટની પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન રાજનભાઈ ભટ્ટ દ્વારા તળાજા તાલુકાના મણાર ગામની કુમાર પ્રાથમિક શાળા અને કન્યા પ્રાથમિક શાળાના દરેક બાળકોને સ્વર્ગસ્થ જીતુભાઈ ભટ્ટનિ સમૃત્તી રૂપે બાળકોને બુક્સ પેટ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજનભાઈ ભટ્ટના સુપુત્ર ચિરાગભાઈ ભટ્ટ વિકાસભાઈ ભટ્ટ સાંઈનાથ પેટ્રોલિયમ લીલા સર્કલ ભાવનગર તેમજ કુમાર પ્રાથમિક શાળાના અને કન્યા પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ સેવાભાવી સંસ્થાના વિવિધ આગેવાનો તેમજ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા