શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા દ્વારા તા.૩૦/૦૧/૨૦૨૪ - મંગળવાર રોજ સવારે ૧૦:૪૫ કલાકે પાંચમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આયોજિત કરવામાં આવેલ જેમાં સન્માનિય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત , પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ , ગોધરા ધારાસભ્ય સી. કે રાઉલજી,વીસી પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણ, રજીસ્ટાર ડો.અનિલ સોલંકી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગમાંથી બી.એ પ્રકાશકુમાર બારીયા અને એમ એ જતીનભાઈ બારીયા એ ગોલ્ડ મેડલ મેળવી કોલેજ પરિવાર અને ઇતિહાસ વિભાગ નું ગૌરવ વધારેલ છે જેને સંસ્થાના પ્રમુખ ભુપેશભાઈ શાહ આચાર્ય ડો. એમ બી પટેલ વિભાગ અધ્યક્ષ સુરેશભાઈ ચૌધરી રેણુકાબેન, વસંતભાઈ તેમજ સમગ્ર કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે..