રાજ્યમાં શાસક પક્ષમાં બરાબર ચૂંટણી ટાણે જ બે સિનિયર નેતાઓ પાસેથી મહત્વપૂર્ણ વિભાગો પરત લઇ લેવાયાની અભૂતપૂર્વ ઘટના પછી રાજકીય ગલિયારોમાં શરુ થયેલી ચર્ચા મુજબ હાઈ કમાન્ડ વર્તમાન મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલના પરફોમન્સને લઇ અસંતુષ્ટ ન હોઈ તેમના સ્થાને પરષોત્તમ રૂપાલા કે મનસુખ માંડવીયાને નીમવા વિચારી રહ્યું છે. આ સંભવિત શક્યતા અંગેના સ્થાનિક હેડલાઈન દૈનિકના ફ્રન્ટ પેઝ પર અહેવાલ પ્રસિદ્ધ કરતા હેડલાઈન દૈનિકના પત્રકાર અનિરુદ્ધ નકુમ સામે A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવતા અખબારી સ્વાતંત્ર્ય પર સેન્સરશીપ સમી તરાપથી સમસ્ત પત્રકાર આલમમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

નિર્ધારિત કાર્યકમાનુસાર તા. 26ને શુક્રવારે સવારે 11:00 કલાકે હોસ્પિટલ ચોક,બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાએ એકત્ર થઈ પત્રકારો અખબારી સ્વાતંત્ર્ય સામેની જોહુકમીનો સામુહિક વિરોધ કર્યા બાદ  અનિરુદ્ધસિંહ નકુમ પત્રકારોના કાફલા સાથે એ ડિવિઝન પોલીસ મથકે સામેથી હાજર થઇ કાનૂનનું પાલન કરશે.
આગામી સમયમાં પ્રસારણ માધ્યમો જોહુકમીનું અતિક્રમણ અટકાવવા રાજકોટ શહેરના પ્રિન્ટ તેમજ ઈલે.મીડિયાનો સમૂહ પણ શ્રી નકુમનાં સમર્થનમાં રેલીમાં જોડાશે, એટલું જ નહિ યોગ્ય ન્યાય નહિ મળે તો લોકતાંત્રિક ઢબે આંદોલન ચલાવી વિરોધ કાર્યક્રમો યોજવા પત્રકાર સંગઠીત બની રહયા છે.