વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নিশা গোলাঘাটৰ আধাৰসত্ৰত বাহনৰ খুন্দাত এজন লোকৰ মৃত্যু :: মৃত লোকজন আধাৰসত্ৰৰ তৌফিক আলি
গোলাঘাট জিলাৰ আধাৰসত্ৰত এখন হোণ্ডাই চেণ্ট্ৰ গাড়ীয়ে খুন্দা মৰাত এজনলোক নিহত হৈছে। জানিব পৰা মতে...
ED Summon To CM Kejriwal: हाईकोर्ट ने CM Kejriwal से पूछा क्यों नहीं हो रहे पेश, वकील ने बताई वजह
ED Summon To CM Kejriwal: हाईकोर्ट ने CM Kejriwal से पूछा क्यों नहीं हो रहे पेश, वकील ने बताई वजह
Share Market: तिमाही नतीजों का शेयर बाजार पर असर, REC के स्टॉक में तेजी तो इस कंपनी के शेयर गिरे
नई दिल्ली,बिजनेस डेस्क। आज शेयर बाजार में कई कंपनी के शेयर में उतार-चढ़ाव जारी है। कंपनी के...
પાલનપુરમાં રદ થયેલી નોટો વટાવવા જતાં 7 શખ્સોને પોલીસે ઝડપ્યા
પાલનપુરમાં 500 અને 1000 ની રદ થયેલી રૂ. 19.77 લાખ નોટો વટાવવા જતાં 7 શખ્સોને એસ.ઓ.જી.એ બાતમીને...