વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भोगाव देवी
जिंतूर
*भोगाव देवी येथे*
अष्टमी निमित्त महा प्रसाद देण्यात आला त्या निमत्त अन्नदाते...
ধুলা থানাৰ আদিবাসী বনকৰা যুবতীৰ মৃত্যুৰ ভূৱা পোস্টমৰ্টেম ৰিপ'ৰ্ট দিয়া তিনি চিকিৎসক গ্ৰেপ্তাৰ
ধুলা থানাৰ আদিবাসী বনকৰা যুবতীৰ মৃত্যুৰ ভূৱা পোস্টমৰ্টেম ৰিপৰ্ট দিয়া মঙলদৈ অসামৰিক চিকিৎসালয় তিনি...
हिंदू जागरण मंच की बैठक आयोजित, आगामी कार्यक्रमों को लेकर चर्चा
कोटा(बीएम राठौर). सांगोद में खेमजी महाराज के मंदिर परिसर में हिंदू जागरण मंच श्री रामगंजमंडी जिला...
নখাট পঞ্চায়তৰ উজনি নামদাং গাঁৱত গছ পুলি ৰোপনৰ এখন আঁচনি কোনো ধৰণৰ অনিয়ম হোৱানাই
নখাট পঞ্চায়তৰ উজনি নামদাং গাঁৱত গছ পুলি ৰোপনৰ এখন আঁচনি কোনো ধৰণৰ অনিয়ম হোৱানাই