વઢવાણ:રાજ્યનું સૌથી ઊંચુ અને મોટુ સ્ફટિક શિવલિંગ વઢવાણ-કોઠારિયા રોડ પર આવેલા રામ રણુજા આશ્રમ મહામૃત્યુંજય મહાદેવ મંદિરમાં બિરાજમાન છે. આ સ્ટફટીક શિવલિંગના દર્શને શિવભક્તો શ્રાવણ માસે ઉમટી રહ્યાં છે. આ મંદિરે છેલ્લા 23 વર્ષથી ઝૂલાતપ શિવભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.વઢવાણ-કોઠારિયા રોડ પર રામ રણુજા આશ્રમે સ્ફટીક શિવલિંગ મહાદેવ મંદિર આવેલું છે. જ્યાં દર શ્રાવણ માસમાં છેલ્લા 23 વર્ષથી મહંત રાજેન્દ્રગીરીબાપુ ઝૂલાતપની તપસ્યા કરી રહ્યાં હતા. જેમાં તેઓ 12 કલાક આ તપ કરીને સાંજે આરતી બાદ પૂર્ણ કરતા હતા. 75 વર્ષની વય થતા વૃદ્ધાઅવસ્થાના કારણે રાજેન્દ્રગીરીબાપુ આ વર્ષે તપમાં જોડાયા ન હતા.બીજી તરફ આ જગ્યાના જ મહંત લાભુગીરીબાપુ અગાઉ 9 વર્ષ સુધી ઝૂલાતપ કર્યું હતું. પરંતુ તેઓ પણ બિમારીના કારણે તપ કરી શકતા ન હતા. ત્યારે આ વર્ષે રાજેન્દ્રગીરીબાપુની જગ્યાએ તેઓ ઝૂલાતપ શરૂ કર્યું હતું. જેમાં સવારથી લઇને આરતી સુધી 15 કલાક સુધી એકપગે ઝૂલાતપ કરી રહ્યા છે. ઉપરાંત સમગ્ર શ્રાવણ માસ દરમિયાન તેઓ આ તપ ચાલુ રાખે છે. જ્યારે શ્રાવણ મહિનાના સોમવારે ચાર આરતી થાય છે. આ અંગે કાનજીભાઇ રાજપૂત વગેરે જણાવ્યું કે, શિવભક્તો દર્શનનો લાભ લે છે. જેમાં 108 દીવડાની મહાઆરતી રાત્રે 12 વાગ્યે થાય છે.