જન્માષ્ટમી કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ‌‌) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે હવે શાળા કોલેજો માં પણ જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે બનાસકાંઠા કાંકરેજ ના પાદરડી ખાતે આવેલ શ્રી નવદુર્ગા વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી.શાળા માં ધોરણ ૧૦ અભ્યાસ કરતો ઠાકોર શ્રવણજી ને કાનુડો બનાવવામાં આવ્યો હતો. શાળા પરિવાર દ્વારા ,દહીં, ચોકલેટ , કેળા ભરી મટકી ફોડ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. શાળા દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગરબા નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું.સૌ સાથ મળી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો...