ગુજરાતમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અભિયાન તા. ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થઈને ૩૧મી ઓક્ટોબર સુધી જનભાગીદારી સાથે યોજાનાર છે. ત્યારે સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા અને જિલ્લા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે “ સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ “ પખવાડિયા અંતર્ગત “સફાઈમિત્ર સુરક્ષા શિબિર (અંત્યોદય દિવસ)“ થીમ અન્વયે સફાઈ કર્મચારીઓને પી.પી.ઈ. કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.સ્વચ્છતા મિત્ર એવા સફાઈ કર્મયોગીઓ, સફાઈ વાહકોની સુરક્ષા અને આરોગ્યની દરકાર લઈ સફાઈ કર્મીઓ માટે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય શાખાની ટીમ દ્વારા દરેક સફાઈ કર્મચારીઓના આરોગ્યલક્ષી મેડીકલ હેલ્થ ચેકઅપ કરાયું હતું. આ કેમ્પમાં સુરેન્દ્રનગર – દૂધરેજ - વઢવાણ નગરપાલિકા વિસ્તારને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા સફાઈ કર્મચારીઓના આરોગ્યને રક્ષણ આપવા માટે માસ્ક, હાથ-મોજા, એપ્રોન, સાબુ, નેપકીન, હેન્ડવોશ, ગમબુટ વગેરે જેવા સાધનોની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાન અન્વયે સ્વચ્છતા અંગે જન જાગૃતિ કેળવાય અને જિલ્લામાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપી કાયમી જળવાય રહે તે માટે જુદા જુદા દિવસોમાં સ્વચ્છતા અભિયાન અર્થે લોક જાગૃતિ કાર્યક્રમો, સફાઈ મિત્રો સન્માન, શિબિરો, વોલ પેઇન્ટિંગ સહિતનાં કાર્યક્રમોથી લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ratan Tata Death News: Bollywood Actor Aamir Khan ने रतन टाटा को दी अंतिम श्रद्धांजलि | Aaj Tak
Ratan Tata Death News: Bollywood Actor Aamir Khan ने रतन टाटा को दी अंतिम श्रद्धांजलि | Aaj Tak
હવે ડ્રાઇવરનો દીકરો ચલાવશે હિમાચલની ગાડી, કાઉન્સિલરથી મુખ્યમંત્રી સુધીની સફર, ઘણા સંઘર્ષો
સખત વિવાદો બાદ અને ભારે વિચાર-વિમર્શ બાદ આખરે હિમાચલ પ્રદેશને તેના મુખ્યમંત્રી મળી જ ગયા....
चाकुबाजी की वारदात को अंजाम देने वाले मुलजिमान गिरफतार
फरियादी धर्मचंद बैरवा पुत्र रामस्वरूप बैरवा निवासी बरोनी (दादिया) थाना बरोनी जिला टोंक ने एक...
Amreli: વડીયા લવજેહાદની ઘટનાના ઘેરાપ્રત્યાઘાત વિવિધ હિન્દુ સંગઠનો પરિવારજનો દ્વારા અપાયું આવેદનપત્ર
Amreli: વડીયા લવજેહાદની ઘટનાના ઘેરાપ્રત્યાઘાત વિવિધ હિન્દુ સંગઠનો અને પરિવારજનો દ્વારા અપાયું...
रविंद्र सिंह भाटी की ‘पायलट’ ने की तारीफ तो ‘गहलोत’ ने कह डाली ये बड़ी बात
राजस्थान की सभी 25 लोकसभा सीटों पर चुनाव संपन्न हो चुका है। फिर भी बाड़मेर लोकसभा सीट की चर्चा...