જિલ્લા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી તળાજામાં ITI ખાતે મુખ્ય મહેમાન શ્રી ગુજરાત રાજ્યના મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગઈ, જેમાં જિલ્લાના કલેક્ટર સાહેબ શ્રી તથા તળાજાના ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ભાવનગરના DEO શ્રી પઢેરીયા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા , જેમાં લોકશાળા મણારના ધોરણ 12 ના વિદ્યાર્થી ભાઈઓએ શ્રી વિપુલભાઈ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ આકર્ષક પિરામિડ રજૂ કર્યો જેમાં હાજર સર્વશ્રોતા ગણ મંત્રમુગ્ધ થઈ ગયા, લોકશાળા મણાર ખાતે અલંગ મરીનના એ.એસ.આઈ શ્રી જેઠુરભાઈ બરાળ ના હસ્તે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો, તેમજ હાલમાં સોનગઢ મુકામે લોકશાળા મણારના ધોરણ 10 ના NCC ના કેડેટ્સ નો કેમ્પ ચાલી રહ્યો છે , ત્યાં પણ CO સાહેબના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો , જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો.સમગ્ર કાર્યક્રમ નું માર્ગદર્શન આચાર્ય શ્રી ડાહ્યાભાઈ ડાંગરે આપેલ.