દાહોદ જિલ્લામાં સરકારી અનાજને સગેવગે કરવાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો હોવાની અનેક ફરીયાદો અવાર નવાર દાહોદ જિલ્લા પુરવઠા વિભાગથી લઈને સચિવાલય સુધી કરવામા આવતી હોય છે, ( વિનામૂલ્યે - રાજ કાપડીયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) જે ફરીયાદીની તપાસ ગોકળ ગતિએ ચાલતી હોવાના કારણે સરકારી અનાજનો કાળો કારોબાર કરતા શખ્સોને જાણે મોકળુ મેદાન મળતુ હોવાની ચર્ચાઓ લોકોના મુખ પર ચર્ચાતી હોય છે, ત્યારે ફતેપુરા તાલુકાના જાગૃત નાગરિક દ્વારા પોતાની ઓળખ છૂપી રાખીને સુખસર ખાતે ખાનગી અનાજના વેપારી દ્વારા સરકારી અનાજનો જથ્થો બજાર કિંમત કરતા ઓછી કિંમતમા ખરીદીને સરકારી અનાજનો કાળો કારોબાર કરવામા આવી રહ્યો છે તેવી બાતમી ફતેપુરાના પુરવઠા નાયબ મામલતદારને આપી હતી, જે બાતમી મળતા ફતેપુરા મામલતદાર કચેરીમાં ના એમાં બધા એટીવીટી તરીકે ફરજ બજાવતા હાલ નાયબ મામલતદાર પુરવઠાનો ચાર્જ સંભાળતા હોય ઇન્ચાર્જ નાયબ મામલતદાર પુરવઠા ચિરાગ અમલીયાર સ્ટાફના માણસો સાથે સુખસર ખાતે આવેલી હરીપ્રસાદ અગ્રવાલની અનાજની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરતા પુરવઠા વિભાગની ટીમ ચોકી ઉઠી હતી, દુકાન માથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાનો સરકારી અનાજના જથ્થાની સીલબંધ બેગો મળી આવી હતી, સાથે ઘઉં ચોખા, ચણા અને બાજરીનો જથ્થો પણ મળી આવ્યો હતો, પુરવઠા નાયબ મામલતદારની ટીમ દ્વારા ૨૫૦ કિ.ગ્રા ચણા, ૨૫૫૦ કિ. ગ્રા ઘઉં, ૪૦૦ કિ.ગ્રા ચોખા તેમજ ૧૨૫૦ કિ. ગ્રા જેટલી બાજરી નો જથ્થો ઝડપી પડ્યો હતો, સાથે સરકારી અનાજના લેબલ સાથે પેકીંગ કરેલી બેગોનો કુલ જથ્થો ૩૨૦૦ કિ.ગ્રા દુકાન માથી મળી આવ્યો હતો, ફતેપુરાની પુરવઠા ટીમ દ્વારા અલગ અલગ અનાજના બાર જેટલાં સેમ્પલ લઇ તાપસ માટે દાહોદ ખાતે મોકવામાં આવ્યા જયારે જપ્ત કરેલ જથ્થો સીઝ કરી સરકારી ગોડાઉન ખાતે જમા કરાવવામા હતો, હાલ તો પુરવઠા વિભાગની ટીમ આ જથ્થો કોના દ્વારા આ ખાનગી દુકાન પર વેચવામા આવ્યો છે તેની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારત સરકાર દ્વારા ઈઝ ઑફ ડુંઈગ બિઝનેસ અન્વયે ગુજરાત વિદ્યુત ઉદ્યોગ એક્ટ અંતર્ગતની જોગવાઈ અને નિયમોના ભંગ બદલ જેલની સજાનું પ્રાવધાન ન સૂચવતા માત્ર ગંભીર પ્રકારના કૃત્યો માટે જેલની સજાનું પ્રાવધાન કરાશે:ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) (સુધારા) વિધેયક - ૨૦૨૨ વિધાનસભા ખાતે સર્વાનુમતે...
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલના અધ્યક્ષપદે ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો
ઇમ્યુનાઇઝેશનની સ્ટીયરીંગ સમિતિની બેઠક યોજાઇ
જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.કે.પી.પટેલના અધ્યક્ષપદે ઇન્ટેસીફાઇડ પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશનની...
भाजपा ने बिहार समेत 4 राज्यों में बदले अध्यक्ष, दिल्ली में वीरेंद्र सचदेवा को मिली जिम्मेदारी
नई दिल्ली। भारतीय जनता पार्टी ने आज कुछ अहम कदम उठाए हैं। बता दें कि भाजपा ने आज बिहार,...
UP Rajya Sabha Election: समाजवादी पार्टी में बीजेपी ने लगाई सेंध, बगावत की वजह की जांच करेगी सपा
UP Rajya Sabha Election: समाजवादी पार्टी में बीजेपी ने लगाई सेंध, बगावत की वजह की जांच करेगी सपा