સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તથા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે નોંધાયેલા અલગ અલગ ગુનામાં ધ્રાંગધ્રા ના કંકાવટી ગામના અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયા નામના શખ્સનું નામ ખુલ્યું હતું. આ બન્ને પોલીસ મથકે ગુનો નાધાયો ત્યારથી આરોપી પોલીસ ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો ત્યારે ફરાર આરોપી અરૃણભાઇ વિરમગામીયા સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે કોઇ વાહનની રાહ જોઇ રહ્યો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઇ એચ.જે.ભટ્ટ, અનિરુદ્ધસિંહ ઝાલા સહીતની પોલીસ ટીમે દરોડો કરી બસ સ્ટેશન પાસેથી અરૃણભાઇ વજુભાઇ વિરમગામીયાને દબોચી લઇ સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકે સોંપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.