ઉમરડા ગામે રહેતા કનુભાઇ કેહરભાઇ પઢીયારનાં પુત્ર ઘનશ્યામભાઇ પઢીયારને પિતા દ્વારા જમીન આપેલ હોય જે જમીન વેચી દીધેલ હોય જેથી પત્નિ જનકબેન દ્વારા પિતાની જમીનમાં ભાગ લેવા બાબતે ઝધડો કરતા ઘનશ્યામભાઈને લાગી આવતા પોતાની વાડીએ ઝેરી દવા પી આપધાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હર્ષરાજસિંહ ઝાલા ચલાવી રહ્યા છે. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે.