સાવરકુંડલામાં સર્વ જ્ઞાતિ 31 સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવશે

સાવરકુંડલા,બાબા રામદેવ યુવક મંડળ દ્વારા સાવરકુંડલામાં 31નવયુગલોના દ્વિતીય સર્વ જ્ઞાતિ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ લગ્નોત્સવ 13/3/2024 ના રોજ યોજાશે.

આ લગ્નોત્સવનો મુખ્ય હેતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓના લગ્ન કરાવવાનો છે. આ ઉપરાંત, યુવા પેઢીમાં સમાજ સુધારાના સંદેશાને પ્રોત્સાહન આપવાનો પણ આ એક પ્રયાસ છે.

આ લગ્નોત્સવમાં ભાગ લેનારા 31 નવયુગલોને બાબા રામદેવ યુવક મંડળ દ્વારા 50 પ્રકારની ગૃહસ્થી સામગ્રી અને સંતો મહંતો તેમજ મહાનુભાવો દ્વારા આશીર્વાદ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં, દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં પ્રથમ દીપ પ્રાગટ્ય મહામંડલેશ્વર મસ્તરામ બાપુ તથા સંતો મહંતો તેમજ મહાનુભાવ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવશે ત્યારબાદ હસ્તમેળા તેમજ ભોજન ના દાતા શ્રી મસાપીર નાના ઝીંઝુડા દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવશે

આ લગ્નોત્સવમાં સમગ્ર ગુજરાતના અનેક સંતો મહંતો દાતાશ્રીઓ તેમજ મહાનુભાવો રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે.

તારીખ: 13/3/2024 ને બુધવાર

સ્થળ: બાબા રામદેવપીર મંદિર બોકરીયાણી ખોડીયાર મંદિર રોડ , ડેમ ની બાજુમાં સાવરકુંડલા

આપ સૌને આ ભવ્ય લગ્નોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

બાબા રામદેવ યુવક મંડળ ના સ્વયંસેવકો દ્વારા છેલ્લા 90 દિવસથી ભારે જહમત ઉઠાવી રહ્યા છે તેમ આશ્રમના મહંત પ્રેમપુરી બાપુ ની અખબારી યાદીમાં જણાવે છે